ગૌહાટી, નવી દિલ્હી, 08 જુલાઈ (હિ.સ.). મંગળવારે સવારે 09:22 વાગ્યે આસામના કાર્બી આંગલોંગ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 નોંધાઈ હતી. ભૂકંપમાં કોઈ જાનહાનિ કે અન્ય નુકસાનના અહેવાલ નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કાર્બી આંગલોંગ જિલ્લામાં 26.51 ડિગ્રી ઉત્તર અને 93.15 ડિગ્રી પૂર્વ અક્ષાંશ પર, સપાટીથી 25 કિલોમીટર નીચે સ્થિત હતું.
ભૂકંપના આંચકા કાર્બી આંગલોંગ અને રાજ્યના આસપાસના વિસ્તારો તેમજ પડોશી રાજ્ય નાગાલેન્ડના સરહદી વિસ્તારોમાં અનુભવાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ