જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટર ના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી
જૂનાગઢ 9 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં છેલ્લા અઠવાડિયા થી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક માર્ગો નુકસાનગ્રસ્ત બન્યા છે. જૂનાગઢ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૦ કિલોમીટર ના રસ્તાઓના રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે
રીપેરીંગની કામગીરી


જૂનાગઢ 9 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં છેલ્લા અઠવાડિયા થી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક માર્ગો નુકસાનગ્રસ્ત બન્યા છે. જૂનાગઢ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૦ કિલોમીટર ના રસ્તાઓના રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

તારીખ ૧ જુલાઈ થી ૭ જુલાઈ દરમિયાન વરસાદના કારણે જે રસ્તા ખરાબ થયા હતા. તે રસ્તાઓનું રીપેરીંગનું કામ સત્વરે હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના ક્ષતીગ્રસ્ત થયેલ જૂનાગઢ ધોરાજી રોડ,જૂનાગઢ ધંધુસર રવની રોડ, ખામધ્રોળ, મજેવડી, માખીયાળા રોડ ,વંથલી માણાવદર રોડ, જૂનાગઢ સાસણ રોડ, માળીયા મેંદરડા રોડના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના કુલ રસ્તાની લંબાઈ ૧૦૦૦.૯૮ કિ.મીનું રસ્તાનું નેટવર્ક ધરાવે છે. જે પૈકીના નુકસાનગ્રસ્ત થયેલ ૧૦ કિલોમીટરના રસ્તાઓ મોટરેબલ કરવામાં આવેલ છે એમ માર્ગ અને મકાન વિભાગ (રાજય) ના કાર્યપાલક ઈજનેર નાધેરા એ જણાવ્યુ હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande