ગીરસોમનાથ હર ઘર તિરંગા’ અંતર્ગત કોડીનારમાં તિરંગા યાત્રા યોજાઈ ભારત માતાના જયઘોષથી કોડીનારના મુખ્ય માર્ગો ગૂંજી ઉઠ્યાં
ગીર સોમનાથ 11 ઓગસ્ટ (હિ.સ.) તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી થઈ રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ સ્પર્ધાઓ અને અલગ-અલગ કાર્યક્રમો થકી આ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કોડીનારમાં
સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન


ગીર સોમનાથ 11 ઓગસ્ટ (હિ.સ.)

તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી થઈ રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ સ્પર્ધાઓ અને અલગ-અલગ કાર્યક્રમો થકી આ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કોડીનારમાં વિશાળ તિરંગા રેલી યોજાઈ હતી. આ તિરંગા રેલીમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. જ્યારે આ રેલી કોડીનારના મુખ્ય માર્ગો પર પસાર થઈ ત્યારે ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના ઉદઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.

મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલથી શરૂ થયેલી આ રેલી છારા ઝાપા, આંબેડકર ચોક, મેઈન બજાર, કોળી ચોરા, નાગલદેવી ચોક, સરકારી દવાખાનાથી થઈ અજંતા ટૉકીઝ, બસ સ્ટેશન થી ફરી આ રેલીનું મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સમાપન થયું હતું.

આ કાર્યક્રમમાં અગ્રણી શીવાભાઈ સોલંકી, મામલતદાર, ચીફ ઓફિસરશ્રી સહિત કોલેજના આચાર્ય તેમજ આરોગ્યના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande