ગીર સોમનાથ, 13 ઓગસ્ટ (હિ.સ.)
સોમનાથ જિલ્લામાં આગામી તહેવારને લઈને વેરાવળ નજીક પ્રભાસ પાટણ ખાતે પોલીસ સ્ટેશન માં પીઆઇ એન બી ચૌહાણના અધ્યક્ષ સ્થાને આગામી સાતમ આઠમના પવિત્ર તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં પી આઈ એન બી ચૌહાણ શહેરના ત્રણ શોભાયાત્રા ને આયોજકોને મંજૂરી મળેલ હોય અને આયોજકો જે સરતો સાથે મંજૂરી મળેલ છે તેનું પાલન અને કાયદો વ્યસ્ત જાણવા માટે સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો સાથોસાથ તહેવારો નિમિત્તે ટ્રાફીક જામ ન થાય તે માટે પોલીસ તંત્ર સાથે સંકલન કરી તેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું આ તકે આગેવાનો એ સહકારથી ખાત્રી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ