પોરબંદર, 14 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના આયુષ્યમાન આરોગ્ય મંદિર, ફટાણા ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા ના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો, આરોગ્ય કર્મચારીઓ અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રા સાથે સાથે આયુષ્યમાન આરોગ્ય મંદિર, ફટાણા ખાતે રંગોળી કરી પણ કરવામાં આવી હતી. જેમાં તિરંગાના રંગો અને દેશભક્તિના પ્રતીકો દ્વારા સુંદર કલા પ્રસ્તુત થઈ હતી. સ્થળ પર દેશભક્તિ ગીતો અને સૂત્રોચ્ચાર સાથે સ્વચ્છતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya