ગીર સોમનાથ 14 ઓગસ્ટ (હિ.સ.) કલેકટર એન.વી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં સઘન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ટીમ દ્વારા કોડીનાર તાલુકાના વિસ્તારમાંથી કુલ ૦૨ વાહન રેતી ખનીજનું બિનઅધિકૃત રીતે વહન કરતાં ઝડપી આ વાહનોને નિયમો અનુસાર દંડકીય રકમ ૦.૬૦ લાખની વસૂલાત કરવામાં આવી હતી.
આ જ રીતે તાલાલા તાલુકામાં સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી ૦૧ વાહનને બિન અધિકૃત રીતે રોયલ્ટી પાસ વગર અટકાયત કરવામાં આવી હતી. જેમાં રૂ.૨.૭૯ લાખનો દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે.
તેમજ વેરાવળ તાલુકાના અલગ-અલગ વિસ્તારોમાંથી ૦૩ વાહન બિનઅધિકૃત રીતે ખનીજ વહન માટે અટકાયત કરી રૂ. ૩.૧૪ લાખ દંડની રકમ વસુલાતની કાર્યવાહી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ