કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રીએ ચિંતા વ્યક્ત કરી, શક્ય તમામ મદદની ખાતરી આપી
નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમણે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે ફોન પર વ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ


નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમણે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવી. અને જરૂરિયાતમંદોને શક્ય તમામ મદદની ખાતરી પણ આપી.

ગુરુવારે, કેન્દ્રીય ગૃહમંત્રી શાહે એક્સ પર પોસ્ટ કર્યું કે, સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલું છે અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (એનડીઆરએફ) ની ટીમોને તાત્કાલિક અસરગ્રસ્ત સ્થળે મોકલવામાં આવી છે. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને દરેક પરિસ્થિતિમાં જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે મજબૂત રીતે ઉભા છીએ.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande