રાષ્ટ્રપતિએ, અમૃત ઉદ્યાનના ગ્રીષ્મકાલીન વાર્ષિકોત્સવનું ઉદ્ઘાટન કર્યું
- અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં અમૃત ઉદ્યાનના એક મહિના લાંબા ગ્રીષ્મકાલીનવાર્ષિકોત્સવનું ઉદ્ઘાટન કર્યું. અમૃત ઉદ્યાન 16 ઓગસ
રાષ્ટ્રપતિએ, અમૃત ઉદ્યાનના ગ્રીષ્મકાલીન વાર્ષિકોત્સવનું ઉદ્ઘાટન કર્યું


- અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે

નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં અમૃત ઉદ્યાનના એક મહિના લાંબા ગ્રીષ્મકાલીનવાર્ષિકોત્સવનું ઉદ્ઘાટન કર્યું. અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદન અનુસાર, આ સમયગાળા દરમિયાન અમૃત ઉદ્યાન સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જ્યારે છેલ્લી એન્ટ્રી સાંજે 5:15 વાગ્યે રહેશે. દર સોમવારે બગીચો જાળવણી માટે બંધ રહેશે. બગીચામાં પ્રવેશ માટે નોંધણી ફરજિયાત છે. તે મફત છે. મુલાકાતીઓ રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ (https://visit.rashtrapatibhavan.gov.in/) પર ઓનલાઇન તેમનું સ્થાન બુક કરાવી શકે છે. ઓનલાઈન બુકિંગ વગરના મુલાકાતીઓ ગેટ નંબર ૩૫ ની બહાર સ્થાપિત સેલ્ફ-સર્વિસ કિઓસ્ક દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

મુલાકાતીઓ નોર્થ એવન્યુ રોડ નજીક સ્થિત રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35 થી પ્રવેશ કરશે. મુલાકાતીઓ બગીચામાં મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ચાવીઓ, પાકીટ, હેન્ડબેગ, પાણીની બોટલો, બાળકોની દૂધની બોટલો અને છત્રીઓ લઈ જઈ શકશે. આ સિવાય, અન્ય કોઈ વસ્તુઓને મંજૂરી આપવામાં આવશે નહીં.

અમૃત ઉદ્યાનમાં ખાસ પ્રસંગોએ ખાસ શ્રેણીઓને ખાસ પ્રવેશ આપવામાં આવશે. 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે ખેલાડીઓ અને રમત જગત સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે ખાસ પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ, ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વર્ષના ઉનાળાના વાર્ષિક ઉત્સવનું મુખ્ય આકર્ષણ 'બબલિંગ બ્રુક' છે જે કુદરતી પાણીના પ્રવાહની અનુભૂતિ કરાવતો વિસ્તાર છે. આ ખાસ લેન્ડસ્કેપ ઝોન અગાઉના સંગીતમય ફુવારાના સ્થાને વિકસાવવામાં આવ્યો છે. આ ખાસ ઝોનમાં ધોધ અને ફુવારા સાથે વહેતા પાણીનો પ્રવાહ, પગથિયાં અને પ્રતિબિંબિત પૂલ, આરામદાયક વડના વૃક્ષો નીચે રીફ્લેક્સોલોજી પાથનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, પંચતત્વ ટ્રેલ્સ અને જંગલી અવાજો સાથેનો મોહક અનુભવ, હર્બલ અને પ્લુમેરિયા બગીચા, સુગંધિત છોડથી ભરેલા ઘાસના ટેકરાનો સમાવેશ થાય છે. આ વખતે અમૃત ઉદ્યાનના પ્રવાસમાં બાલ વાટિકા, હર્બલ ગાર્ડન, બોંસાઈ ગાર્ડન, સેન્ટ્રલ લૉન, લોંગ ગાર્ડન અને સર્ક્યુલર ગાર્ડનનો સમાવેશ થશે. ઉપરાંત, વિવિધ છોડ, તેમના વૈજ્ઞાનિક નામો અને ડિઝાઇન તત્વો વિશેની માહિતી કયુઆર કોડ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રવાસના અંતે મુલાકાતીઓ માટે એક જીવંત ફૂડ કોર્ટ પણ ખુલ્લું રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande