મહાત્મા ગાંધીએ, સ્થાપેલ મંદિર
ભાવનગર 14 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગરના સિહોરના મઢડા ગામે આવેલ છે, ભારત માતાનું મંદિર કે જે ગાંધી જી એ સ્થાપિત કર્યું હતું પરંતુ હાલની જો વાત કરીએ તો ભારત માતાના મંદિરની સ્થિતી ખાંઢેર હાલતમાં છે. પ્રજાસત્તાક દિવસ હોય કે પછી ગણતંત્ર દિવસ પરંતુ ભારત માતાના મં
મહાત્મા ગાંધીએ સ્થાપેલ મંદિર


ભાવનગર 14 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગરના સિહોરના મઢડા ગામે આવેલ છે, ભારત માતાનું મંદિર કે જે ગાંધી જી એ સ્થાપિત કર્યું હતું પરંતુ હાલની જો વાત કરીએ તો ભારત માતાના મંદિરની સ્થિતી ખાંઢેર હાલતમાં છે. પ્રજાસત્તાક દિવસ હોય કે પછી ગણતંત્ર દિવસ પરંતુ ભારત માતાના મંદિરની દયનીય હાલત બની ગઈ છે. સ્થાનિકોનું માનવું છે કે જો આ મંદિરનો ઝીણોધાર થાય તેવી લોકો માં માંગ ઉઠી છે.

2 એપ્રિલ 1925 માં મહાત્મા ગાંધીએ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે પગપાળા ચાલીને ભારત માતાના મંદિરની સ્થપના કરી હતી અસાંખ્ય સ્વતંત્ર સેનાનિઓ મંદિરની સ્થાપનામાં જોડાયા હતા ત્યારબાદ ભારત દેશ આઝાદ થયો તેને વર્ષો વીતી ગયા પરંતુ સિહોર તાલુકાના મઢડા ગામે આવેલ ભારત માતાના મંદિરની આઝાદી નથી મળી જ્યાં સ્થાપના મંદિરની કરવામાં આવી. ત્યાં વાણિક શિવજી દેવશીભાઈ શાહ કે જે પોતે પણ સ્વતંત્ર સેનાની હતા પરંતુ તેના પરિવારના લોકો દ્વારા કોર્ટ માંથી સ્ટે લવતા ભારત માતા મંદિર ને તાળા મારી દેવાયા છે આજદીન સુંધી આ મંદિરના તાળા ખુલ્યા નથી જેને લઈ ગ્રામજનો દ્વારા અવારનવાર રજુઆત કરવા છતાં મંદિરને અલીગઢ તાળા જોવા મળી રહિયા છે.

બાઈટ.ભાવસિંહભાઈ ડોડીયા પૂર્વ સરપંચ મઢડા ગામ

વિઓ 2- આમ તો દેશની આઝાદીને સમગ્ર દેશ માં 15 ઓગષ્ટ હોય કે, પછી હોય 26 જાન્યુઆરી સ્વતંત્રતા પર્વ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી થતી હોય છે પરંતુ જે ભારત માતા માટે આપેલા ભારત ના સપૂતો ના બલિદાનો કે દેશ આઝાદ થયો એ ભારત માતાના મંદિરની હલાત કફોડી જોવા મળી રહી છે વાત છે સિહોર તાલુકાના મઢડા ગામે આવેલ ભારત માતાના મંદિરની ગુજરાત ફષ્ટ દ્વારા આ મંદિરની મુલાકાત લેતા મંદિર ની અવદશા જોવા મળી સમગ્ર ગુજરાત માં એક માત્ર ભારત માતાનું મંદિર આવેલ છે. જ્યાં ભારત માતાની મૂર્તિ 5.5 ફૂટની છે, સાથે 100 વર્ષ જુના અને પુરાતત્વો સાથે જોડાયેલા આ મંદિરની હલાત કફોડી બની છે.

સ્થાનિકો દ્વારા અનેકવાર ગ્રામજનોએ રજુઆત કરવા છતાં આજદિન સુધી અહીં કોઈ નેતાઓ ફરકયા નથી તો સાથે મંદિર પરિસર ની અંદર જ્યાં જુવો ત્યાં ઘાસ ઊગી ગયું છે પરંતુ નેતાઓ જ્યા ભાષણ માં ભારત માતાની જય બોલવાથી ભાષણની શરૂઆત કરતા હોય છે તે નેતાઓ જો મંદિરની મુલાકાત લે તો ખબર પડે ખરે ખર દેશ આઝાદ થયો પરંતુ ગુજરાત માં આવેલ આ ભારત માતાને શુ ખરે ખર આઝાદી મળી છે કે કેમ હાલ તો આ મંદિરની હાલત કફોડી બની જતા ભારત માતા ને પણ આંસુ આવી રહિયા છે.

બાઈટ.જામસિંહ પરમાર સ્થાનિક

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande