ગીર સોમનાથ, 15 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ મંદિર કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે, સ્વતંત્રતાની સાથે જ આ મંદિર નિર્માણનો પ્રકલ્પ પ્રારંભ થયેલ,ત્યારે આજરોજ 79માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી સોમનાથ માં કરવામાં આવેલ, પ્રાતઃ શૃંગાર ત્રિરંગા સાથે કરવામાં આવેલ, તેમજ મંદિર પરિસરમાં ધ્વજવંદન ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ના વરદ હસ્તે કરવામા આવ્યું હતું. જેમાં સોમનાથ સુરક્ષામાં ફરજ બજાવતા સુરક્ષા સ્ટાફ, ટ્રસ્ટના કર્મચારીઓ, મંદિરના પૂજારી,યાત્રીકો જોડાયા હતા. ધ્વજ વંદન સાથે ભારત માતાની વંદના કરવામાં આવેલ તેમજ જેમના સંકલ્પ થકી સોમનાથ મંદિરનુ નિર્માણ થયુ તેવા સરદાર વલ્લભભાઇ પટેલ ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.
જનરલ મેનેજર દ્વારા સ્વતંત્રતા નો સંદેશ આપતા કહેલ કે “ દેશના યશસ્વી વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના માન. ચેરમેન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જે પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે તેનાથી આપણે અનુભવ કરી રહ્યા છીએ કે આપણો દેશ સર્વાંગી વિકાસ મેળવી રહ્યો છે. મેક ઇન ઇન્ડિયા,સ્વ્ચ્છ ભારત અભિયાન,જેવી સર્જનાત્મક વિચારધારાથી રાષ્ટ્ર વિકાસના પથ પર અગ્રેસર થયુ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકર થઇ રહ્યું છે .આપણો દેશ ઉતરોતર પ્રગતિ કરે એ શ્રી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ”
આ તકે પોલિસ સ્ટાફ, એસ.આર.પી જવાનો તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તેમજ મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ ધ્વજવંદના ના કાર્યક્રમ મા પધારેલા સૌને સોમનાથ ટ્રસ્ટ તરફથી પ્રસાદ વિતરણ કરવામાં આવેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ