પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં ગેરજમા કામ કરતી વેળા વીજશોક લાગતા કિશોરનુ મોત થતા, ભારે ગમગીની છવાઈ ગઇ હતી. પોરબંદરના નરસંગટેકરી રેલવે ફાટક પાસે આવેલા ગેરજમા કારતી વેળાએ બાવન નાથાભાઈ મોરી(ઉ. વ17) નામના કિશોર, લાઈન દોરીના બોર્ડમાંથી પ્લગ કાઢવા જતા, તેમને વીજશોક લાગતા તેમનુ મોત થયુ હતુ. આ બનાવને લઈ મૃતકના પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya