ગીર સોમનાથ, 16 ઓગસ્ટ (હિ.સ.)
ભગવાન સોમનાથના પાવન સ્થાને, આપણે સૌએ દેશપ્રેમ અને એકતાનો અનોખો અનુભવ કર્યો. આપણા રાષ્ટ્રીય નેતૃત્વે જે વિક્સિત ભારત 2047 નું સ્વપ્ન જોયું છે, તેને સાકાર સ્વરૂપ બની રહેવા માટે ચાલો આપણે સૌ એક મનથી પ્રતિજ્ઞાબદ્ધ થઈએ.
આ ઉત્સવ આપણું સમર્પણ, સંકલ્પ અને સેવા ભાવનાનું પ્રતિબિંબ છે, જે જે માટે ગીર સોમનાથ રેડક્રોસના ચેરમેન અતુલ કાનાબાર, અને ચેરમેન એમિરેટ્સ કિરીટ ઉનડકટ ના માર્ગદર્શન હેઠળ આપણે સૌ જવાબદારી સાથે સંકલ્પ લઈએ કે ચાલો, દેશની ઉન્નતિ અને ગૌરવ માટે સર્વે સાથે મળીને આગળ વધીએ
એક જવાબદાર નાગરિક તરીકે આપણી આજુબાજુ ને સ્વચ્છ રાખી આપણા સૌના સ્વાસ્થ્ય માટે લોકોને ઉપયોગી થવાના હેતુથી નિસ્વાર્થ ભાવે સેવા કરવા સંકલ્પ લઈએ આવો આપણે સૌ એક થઈ ભારતને આગળ વધારીએ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ