નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે પારસી નવા વર્ષ 'નવરોજ' નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
પ્રધાનમંત્રીએ એક એક્સ પોસ્ટમાં લખ્યું, પારસી નવા વર્ષની શરૂઆત પર હાર્દિક શુભેચ્છાઓ! આપણા રાષ્ટ્રમાં પારસી સમુદાયના કાયમી યોગદાન પર આપણે બધા ગર્વ અનુભવીએ છીએ. આ વર્ષ બધા માટે સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય લાવે. નવરોજ મુબારક!
ઉલ્લેખનીય છે કે, પારસી સમુદાય દ્વારા નવરોજનો તહેવાર પરંપરાગત ઉલ્લાસ અને આધ્યાત્મિક ભાવના સાથે ઉજવવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ