અમૃતસરના અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમનીનો સમય બદલાયો
ચંદીગઢ, નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). હવામાનમાં ફેરફાર બાદ, બોર્ડર સિક્યુરિટી ફોર્સે પંજાબના અમૃતસરમાં અટારી બોર્ડર પર દૈનિક રિટ્રીટ સેરેમનીનો સમય બદલ્યો છે. બીએસએફએ શનિવારે જણાવ્યું હતું કે, પહેલા આ કાર્યક્રમ દરરોજ સાંજે 6.30 થી 7.00 વાગ્યા સુધી યો
અમૃતસરના અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમનીનો સમય બદલાયો


ચંદીગઢ, નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). હવામાનમાં ફેરફાર બાદ, બોર્ડર સિક્યુરિટી ફોર્સે પંજાબના અમૃતસરમાં અટારી બોર્ડર પર દૈનિક રિટ્રીટ સેરેમનીનો સમય બદલ્યો છે.

બીએસએફએ શનિવારે જણાવ્યું હતું કે, પહેલા આ કાર્યક્રમ દરરોજ સાંજે 6.30 થી 7.00 વાગ્યા સુધી યોજાતો હતો. હવે છેલ્લા કેટલાક દિવસોથી સરહદી વિસ્તારોમાં હવામાન બદલાવાનું શરૂ થયું છે. આ કારણે હવે રિટ્રીટ સેરેમની નો સમય સાંજે 6.00 થી 6.30 વાગ્યા સુધી રહેશે. બીએસએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અહીં દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓની સંખ્યા અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને સમય બદલવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande