જામનગરમાં જૂના રેલવે સ્ટેશન પાસે ગીતા લોજ બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી
જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) :જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી ગીતા લોજ બિલ્ડિંગનો એક જર્જરિત ભાગ આજે (15 સપ્ટેમ્બર) અચાનક ધરાશાયી થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના બીજા માળે બની હતી, જ્યાં
બિલ્ડીંગનો રવેશ ધરાશાયી


જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) :જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી ગીતા લોજ બિલ્ડિંગનો એક જર્જરિત ભાગ આજે (15 સપ્ટેમ્બર) અચાનક ધરાશાયી થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ ઘટના બીજા માળે બની હતી, જ્યાં બિલ્ડિંગનો કેટલોક હિસ્સો એકાએક નીચે પડ્યો હતો. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોના સંચાલકોએ પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક પોતાની દુકાનો બંધ કરી દીધી હતી.

ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાનું તંત્રમાં એસ્ટેટ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું. હાલમાં, બિલ્ડિંગનો હજુ પણ કેટલોક ભાગ જર્જરિત હોવાથી વધુ કોઈ દુર્ઘટના ન બને તે માટે આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. અને જર્જરિત ભાગને તોડી પાડવાની કામગીરી શરૂ કરે દેવાઈ છે.

આ ઉપરાંત, સિટી બી ડિવિઝન પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને નિયંત્રિત કરી હતી. આ ઘટનાએ શહેરની જૂની અને જર્જરિત ઇમારતોની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઊભો કર્યો છે. તંત્ર દ્વારા આગામી સમયમાં આવી ઇમારતો સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande