ગીર સોમનાથ 2 સપ્ટેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ યોજાયેલ ઓનલાઈન ''રાજય સ્વાગત'' ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.
આ પ્રશ્ન અન્વયે ગીર સોમનાથ જિલ્લાના અરજદાર રાહુલભાઈ દાનાભાઈ મોરી દ્વારા વર્ષ - ર૦રપ ના સંપાદન એવોર્ડથી સંપાદિત થયેલ જમીનનું વળતર આજ દિન સુધી ન મળવા બાબતે રજૂઆત કરેલ હતી.
આ બાબતે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગત (પ્રત્યુતર) રાજય સ્વાગત કાર્યક્રમમાં આપી હતી.
આ પ્રશ્ન બાબતે મુખ્યમંત્રીશ્રી દ્વારા સંવેદનશીલતા સાથે નિર્ણય લઇ અરજદારનો પ્રશ્ન ઝડપથી નિકાલ આવે તે માટે સબંધિત વિભાગને દિન-૩૦ માં જરૂરી પગલાં લેવા માટેની સૂચના આપી હતી.
આ રીતે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના સરા ગામના અરજદારના પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું હતું.
આ ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ