જિલ્લા મેજિસ્ટ્રે એન. વી. ઉપાધ્યાયએ પાસા ધારા હેઠળ હુકમ કરતા આશરે આઠ લાખના પ્રોહિબિશનના ગુન્હામાં પકડાયેલ બુટલેગર જેલના હવાલે
ગીર સોમનાથ, 2 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ગેરકાયદેસર દારૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતો ઈશમ જુબેરભાઈ હાજીભાઈ પાણાવઢુ, રહે.કોડીનાર કે જેઓ કોડીનાર પો. સ્ટે.ના ગુન્હામાં તેઓના સહઆરોપી સાથે કિ.રૂ.
જિલ્લા મેજિસ્ટ્રે એન. વી. ઉપાધ્યાયએ પાસા ધારા હેઠળ હુકમ કરતા આશરે આઠ લાખના પ્રોહિબિશનના ગુન્હામાં પકડાયેલ બુટલેગર જેલના હવાલે


ગીર સોમનાથ, 2 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ગેરકાયદેસર દારૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતો ઈશમ જુબેરભાઈ હાજીભાઈ પાણાવઢુ, રહે.કોડીનાર કે જેઓ કોડીનાર પો. સ્ટે.ના ગુન્હામાં તેઓના સહઆરોપી સાથે કિ.રૂ.૮,૫૩,૩૬૧/- નો ભારતીય બનાવટી દારૂનો વિપુલ પ્રમાણમાં પ્રોહીબીશનનો મુદ્દામાલને કબ્જામાં રાખીને હેરફેર કરતા પકડાયેલ હતો.

આ ઈશમો ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ થવાના તેમજ તેની આવી ગેરકાયદેસરની પ્રવુત્તિથી લોકોના જાહેર સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પહોંચતી હોવાનું તથા સમાજનું યુવાધન દારૂ તથા બિયરની બુરી લતે ચડી જાય જેનાથી સમાજનું યુવાધન માનસિક, શારીરિક તેમજ આર્થિક રીતે ખોખલું થતા યુવા પેઢીનું ભાવિ ધુધળું થાય તેવા કારણો જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટએ તા.૦૧/૦૯/૨૦૨૫ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા આજરોજ મધ્યસ્થ જેલ, સુરતના હવાલે કરવામાં આવેલ હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande