ગીર સોમનાથ, 2 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે આજ રોજ સુત્રાપાડા શહેર ખાતે સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વર્ગીય માતુશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી ના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી પૂતળા દહન તેમજ કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ યોજાયો.
આ વિરોધ પ્રદર્શનમાં સુત્રાપાડા શહેર ભરતીયત જનતા પાર્ટી ના હોદ્દેદારઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ