ઉના તાલુકાના કેસરિયા ગામે સરકારી સર્વે નંબરમાંથી, આશરે ૩૦૩ ચો.મી. ક્ષેત્રફળવાળી અંદાજે રૂ. ૩.૫ લાખની બજાર કિંમતની જમીનના દબાણો દૂર કરાયા
ગીર સોમનાથ, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ કલેકટર એન.વી.ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉના તાલુકા કેસરિયા ગામે સરકારી સર્વે નંબર ૧૬૧ પૈકીની જમીનમાંથી અલગ અલગ ૩ દબાણદારો દ્વારા જમીન પર સેનેટરી બ્લોક તથા બાઉન્ડ્રી વોલ બનાવી પેશકદમી કરી દબાણ કરવ
ઉના તાલુકાના કેસરિયા ગામે


ગીર સોમનાથ, 22 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ કલેકટર એન.વી.ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉના તાલુકા કેસરિયા ગામે સરકારી સર્વે નંબર ૧૬૧ પૈકીની જમીનમાંથી અલગ અલગ ૩ દબાણદારો દ્વારા જમીન પર સેનેટરી બ્લોક તથા બાઉન્ડ્રી વોલ બનાવી પેશકદમી કરી દબાણ કરવામાં આવી હતી.

ગત રોજ દબાણરોને પેશકદમી દૂર કરવા સમજૂત કરતાં દબાણદારો દ્વારા સ્વેચ્છાએ અને સ્વ-ખર્ચે દબાણો દૂર કર્યા હતાં. જેની બજાર કિંમત આશરે રૂ. ૭.૫ લાખ થવા જાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande