સોમનાથ 27 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ વરસાદે ગીર સોમનાથ જિલ્લામાં વિરામ લેતાંની સાથે જ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ પૂરઝડપે શરૂ કરી દેવાયું છે.માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા તાલાલા તાલુકાના જશાધાર, રાતીધાર, રામપરા રોડ પર ડામર પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ગ્રામ્ય વિસ્તારોના રોડ-રસ્તાની સમારકામની કામગીરી વેગવંતી બનવાથી વાહનવ્યવહાર સરળ, સુરક્ષિત અને ઝડપી બનવાની સાથે ગ્રામજનોને દૈનિક અવરજવરમાં સરળતા રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ