ગાંધીનગર, 3 સપ્ટેમ્બર (હિ.સ.): હરિયાણા રાજ્ય સરકારના ઉદ્યોગો અને વાણિજ્ય,વન-પર્યાવરણ અને વન્યજીવન, વિદેશ સહકાર તથા સૈનિક અને અર્ધ સૈનિક કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી રાવ નરબીર સિંહે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ હરિયાણા સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી.
મંત્રી રાવ નરબીર સિંહે પ્રકૃતિ અને માનવ કલ્યાણ માટે રાજ્યપાલ દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રાકૃતિક કૃષિ મિશન તેમજ શિક્ષણ, આરોગ્ય તથા સંસ્કૃતિ પર આધારિત સમાજના નિર્માણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને મંત્રી વચ્ચે કૃષિ, સહકાર, પર્યાવરણીય સંરક્ષણ, શિક્ષણ અને ગ્રામીણ વિકાસ જેવા વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ