જૂનાગઢ 3 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં ખેડૂત મિત્રો માટે મગફળીના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, મોલો મશી જીવાતના ઉપદ્રવના પ્રાથમિક અંદાજો મેળવવા તેમજ નિયંત્રણ માટે ખેતરમાં પીળા ચીકણા ટેપ (સ્ટીકી ટ્રેપ) લગાવવા. મોલોને ખાઇ જનારા દાળિયાની વાસ્તી જો ખેતરમાં વધુ જણાય તો જંતુનાશક દવા છાંટવાનું મુલતવી રાખવું જોઈએ.
લીલી ઇયળ (ટેલિઓથીસ) તથથ્ય પાન ખાનાર ઈયળના (સ્પોડોપ્ટેશ) નિયંત્રણ માટે હેકટર દીઠ ૫-૬ ફેરોમોન ટ્રેપ ગોઠવી તેમાં પકડાતા નર કુંદાનો નાશ કરવો. સફેદ ધૈણના ઢાલીયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પિંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલીયા ભેગા કરીને તેનો નાશ કરવો. ચૂસિયા જીવાતો, લીલી ઈયળ તથા પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીજનો ભુકો ૫૦૦ ગ્રામ (5% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦-૪૦ મીલી અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરીને તેનો છંટકાવ કરવો.
લીલી ઈયળ તથા પાન ખાનાર ઈયળના જોવિક નિયંત્રણ માટે બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ યુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીમ વાયરસ ( બેન.પી.વી.) ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. મુંડાના અસરકારક નિયંત્રણ માટે ઉગાવાના 10 દિવસ બાદ બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ટ્રેન્ડિંગ થરા ૫૦ કિ.ગ્રા./હેકટર પ્રમાણે જમીનમાં આપવું.
પાકમાં સ્થાનિક જીવાતો (બેન્ડેમિક પેસ્ટ) નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરિયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવક વિસ્તરણ અધિકારીશ ખેતી અધિકારીતાલુકા અમલીકરણ અધિકારીશ્રી મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક સાધી શકાશે. તેમ અધિક ખેતી નિયામકશ વિસ્તરણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ સંપૂર્ણ માહિતી મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના સહયોગથી પ્રાપ્ત થયેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ