પોરબંદર, 3 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર શહેરમા ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામા આવી હતી અને પુજા-અર્ચના કરવામા આવી હતી આમતો દશ દિવસ સુધી ગણેશોત્સવની ઉજવણી કરવામા આવે છે. પરંતુ પોરબંદરમા પાંચમા દિવસ પ્રથમ તબકકાનુ અને ગઇકાલે મંગળવારે બીજા તબકકાનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની સવારી નીકળી હતી ઢોલ-શરણાઈ, બેન્ડ વાજા અને ડી.જે ના તાલે ગણેશજીની સવારી નિકળી હતી અબીલ-ગુલાલની છોળો ઉડી હતી અને રાસ-ગરબાની રમઝટ બોલી હતી ગણપતિ બાપ્પા મોરીયાના ગગનભેદી નારા સાથે આસ્થા અને ભાવપૂર્વક ગણેશજીની મૂર્તિનુ અસ્માવતી ઘાટ ખાતે વિસર્જન કરવામા આવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya