ગીર સોમનાથ માન્ય ડીગ્રી વગર પ્રેકટીસ કરતા બોગસ ડોકટરને પકડી પાડતી એસ.ઓ.જી. ગીર સોમનાથ
ગીર સોમનાથ, 4 સપ્ટેમ્બર (હિ.સ.) નિલેશ જાજડીયા , પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગનાઓ તથા જયદીપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક, ગીર સોમનાથ નાઓએ ગીર સોમનાથ જીલ્લામાં અસામાજીક તત્વો તેમજ લોકોની જીંદગી સાથે ચેડા કરતા ઇસમો સામે સખત કાર્યવાહી કરવા કરેલ સુચના
ગીર સોમનાથ માન્ય ડીગ્રી વગર પ્રેકટીસ કરતા બોગસ ડોકટરને પકડી પાડતી એસ.ઓ.જી. ગીર સોમનાથ


ગીર સોમનાથ, 4 સપ્ટેમ્બર (હિ.સ.)

નિલેશ જાજડીયા , પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગનાઓ તથા જયદીપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક, ગીર સોમનાથ નાઓએ ગીર સોમનાથ જીલ્લામાં અસામાજીક તત્વો તેમજ લોકોની જીંદગી સાથે ચેડા કરતા ઇસમો સામે સખત કાર્યવાહી કરવા કરેલ સુચના મુજબ,

એન.એ. વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. ગીરસોમનાથ નાઓના માર્ગદર્શન અનુસાર તા.૦૨/૦૯/૨૦૨૫ ના એસ.ઓ.જી. સ્ટાફના ઇબ્રાહીમશા બાનવા, પ્રતાપસિંહ ગોહીલ એ.એસ.આઇ. તથા રણજીતસિંહ ચાવડા પો.કોન્સ. એ રીતેના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મળેલ સયુકત ખાનગી હકિકત આધારે મેડીકલ ઓફીસરશ્રી ડો.શ્રી સંકેતભાઈ એમ. મોરી નાઓને સાથે રાખી નવાબંદર મદીના મસ્જીદ સામે, લાશાની નિશશારએહમદ સીદીકી, ઉ.વ.૨૫ રહે.ઉના અનમોલ સોસાયટી તા.ઉના જી.ગીરસોમનાથ, વાળો ગે.કા. રીતે માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી કિલનીક/દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતા હોય જેને રેઇડ દરમ્યાન જુદી જુદી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન તથા સિરપની બોટલો તથા છુટી દવાઓ વિગેરે મેડિકલને લગત તમામ સાધન સામગ્રી તથા દવાનો જથ્થો કુલ આર્ટીકલ-૧૯ જેની કુલ કિ.રૂ.૯,૪૯૪/- ના મુદામાલ સાથે મળી આવતા નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande