70મા રેલ સપ્તાહ કેન્દ્રીય સમારોહમાં ભાવનગર મંડળના પોઇન્ટ્સમેનને મળ્યો અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર–2025
ભાવનગર 10 જાન્યુઆરી (હિ.સ.) રેલ, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસેથી ભાવનગર મંડળના પોઇન્ટ્સમેન યોગેશ કુમાર શર્મા એ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. ભાવનગર મંડળ માટે ગૌરવની વાત છે કે મંડળના પોઇન્
70મા રેલ સપ્તાહ કેન્દ્રીય સમારોહમાં ભાવનગર મંડળના પોઇન્ટ્સમેનને મળ્યો અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર–2025


ભાવનગર 10 જાન્યુઆરી (હિ.સ.) રેલ, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસેથી ભાવનગર મંડળના પોઇન્ટ્સમેન યોગેશ કુમાર શર્મા એ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.

ભાવનગર મંડળ માટે ગૌરવની વાત છે કે મંડળના પોઇન્ટ્સમેન યોગેશ કુમાર શર્માને અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર (AVRSP) – 2025 થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન 70મા રેલ સપ્તાહના કેન્દ્રીય સમારોહના અવસરે શુક્રવાર, 09 જાન્યુઆરી 2026ના રોજ નવી દિલ્હી ઈન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (યશોભૂમિ) ખાતે આયોજિત કાર્યક્રમમાં આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય રેલ, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમને સન્માનિત કર્યા.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, પોઇન્ટ્સમેન યોગેશ કુમાર શર્માને વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક શ્રી સી. આર. ગરૂડાની ભલામણ પર તેમના અનુકરણીય શિસ્ત, સમયપાલન, સાવચેતી તેમજ પરિચાલન અને સુરક્ષા સૂચનાઓના કડક પાલન બદલ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમની સતર્કતા અને ત્વરિત કાર્યવાહી દ્વારા સંભવિત અસુરક્ષિત પરિસ્થિતિઓની સમયસર ઓળખ કરીને તેને અટકાવવામાં આવી, જેના પરિણામે સંબંધિત ક્ષેત્રમાં ટ્રેનોનું સુરક્ષિત અને દુર્ઘટનામુક્ત પરિચાલન સુનિશ્ચિત થયું.

તેમણે વધુમાં જણાવ્યું કે શ્રી શર્માએ પસાર થતી ટ્રેનમાં ઢીલા બ્રેક ઘટકોની ઓળખ કરીને તેને સુરક્ષિત બનાવ્યા, જેના કારણે એક સંભવિત દુર્ઘટના ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમનું આ કાર્ય માત્ર વ્યક્તિગત કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ જ નથી, પરંતુ ભાવનગર મંડળની સુરક્ષા સંસ્કૃતિને પણ વધુ મજબૂત બનાવે છે.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ યોગેશ શર્માને અભિનંદન પાઠવ્યા અને અન્ય કર્મચારીઓને ઉત્તમ કાર્ય કરવા માટે પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે ભાવનગર મંડળના કર્મચારી દ્વારા પ્રાપ્ત આ રાષ્ટ્રીય સ્તરનું સન્માન મંડળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પ્રેરણાસ્રોત છે અને તે રેલ સુરક્ષા તથા સેવા ઉત્તમતા પ્રત્યે મંડળની અડગ પ્રતિબદ્ધતાને દર્શાવે છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande