હાઈકોર્ટે કાજોલ દેવગનના, વ્યક્તિત્વ વિષયક સામગ્રીના સોશિયલ મીડિયા પર ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી (હિ.સ.) દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જ્યોતિ સિંહની બેન્ચે, ફિલ્મ અભિનેત્રી કાજોલ દેવગન સંબંધિત કોઈપણ સામગ્રીના અનધિકૃત ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો વચગાળાનો આદેશ જારી કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે,”
કોર્ટ


નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી (હિ.સ.) દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જ્યોતિ

સિંહની બેન્ચે, ફિલ્મ અભિનેત્રી કાજોલ દેવગન સંબંધિત કોઈપણ સામગ્રીના અનધિકૃત

ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો વચગાળાનો આદેશ જારી કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે,”

કાજોલ દેવગનના વ્યક્તિત્વ સંબંધિત એઆઇ અને ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને

બનાવવામાં આવેલી, કોઈપણ સામગ્રીનો દુરુપયોગ થઈ શકતો નથી. કોર્ટે વિવિધ

પ્રતિવાદીઓને અભિનેત્રી સંબંધિત અશ્લીલ અને અશ્લીલ સામગ્રી દૂર કરવાનો નિર્દેશ

આપ્યો હતો.”

સુનાવણી દરમિયાન કાજોલ વતી એડવોકેટ પ્રવીણ આનંદ હાજર રહ્યા

હતા. સુનાવણી દરમિયાન, કોર્ટે જણાવ્યું

હતું કે,” ડીપફેક, અવાજની નકલ અને

અન્ય દ્રશ્યો માત્ર વ્યક્તિત્વના અધિકારોનું જ નહીં પરંતુ ગૌરવ અને ગોપનીયતાના

અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે.” જો કે, હાઈકોર્ટે નોંધ્યું હતું કે વ્યંગ, કલાત્મક

અભિવ્યક્તિ, ટિપ્પણી અને

સમાચાર રિપોર્ટિંગ આમાંથી અલગ છે.

હાઈકોર્ટે અગાઉ આદેશ આપ્યો હતો કે,” ફિલ્મ અભિનેતા વિવેક

ઓબેરોય, આંધ્રપ્રદેશના

નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ, ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર, ફિલ્મ અભિનેતા

સલમાન ખાન, અભિનેતા અજય

દેવગન, અભિનેત્રી અને

સાંસદ જયા બચ્ચન, પત્રકાર સુધીર

ચૌધરી, આર્ટ ઓફ લિવિંગ

ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શ્રી રવિશંકર, તેલુગુ અભિનેતા નાગાર્જુન, અભિનેત્રી ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને

ફિલ્મ નિર્માતા કરણ જોહર સાથે સંબંધિત, કોઈપણ વ્યક્તિગત માહિતીનો પરવાનગી વિના

ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે એવો આદેશ આપ્યો હતો.”

હિન્દુસ્થાન સમાચાર/સંજય

હિન્દુસ્થાન સમાચાર/અમરેશ દ્વિવેદી/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande