
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી (હિ.સ.) દેશમાં 6જી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે, ટેલિકોમ્યુનિકેશન
એન્જિનિયરિંગ સેન્ટર (ટીઇસી) એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ખડગપુર સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર
કર્યા છે, જેથી કૃત્રિમ
બુદ્ધિ-આધારિત ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ્સ, રેડિયો અને એન્ટેના ટેકનોલોજી, માઈમો ટેકનોલોજી, સેટેલાઇટ અને
નોન-ટેરેસ્ટ્રીયલ નેટવર્ક્સ (એનટીએન) જેવા ક્ષેત્રોમાં ભારત-વિશિષ્ટ ધોરણો વિકસાવવામાં આવે.
કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રાલયે જણાવ્યું હતું કે,”
સોમવારે કમલ કુમાર અગ્રવાલ,
ડીડીજી (એફએ), ટીઇસી, અને પ્રો. દેબદીપ
મુખોપાધ્યાય દ્વારા નવી ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજી પર સંયુક્ત અભ્યાસ, સંશોધન અને
માનકીકરણ પ્રવૃત્તિઓમાં સહયોગ કરવા માટે એમઓયું પર હસ્તાક્ષર
કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડિરેક્ટર્સ પ્રો. સુમન ચક્રવર્તી, પ્રો. ગૌતમ દાસ, ડૉ. દેબરતી સેન
અને સૌવિક કુમાર દાસ, ડીડીજી(આરટીઇસી), ટીઇસી પણ હાજર હતા.”
આ સહયોગ 6જી નેટવર્ક્સ, કૃત્રિમ બુદ્ધિ-આધારિત ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ્સ, રેડિયો અને
એન્ટેના ટેકનોલોજી, માઈમો ટેકનોલોજી, સેટેલાઇટ અને
નોન-ટેરેસ્ટ્રીયલ નેટવર્ક્સ (એનટીએન) જેવા ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધનને સરળ બનાવશે.
ભારત-વિશિષ્ટ ધોરણો વિકસાવવા અને આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયન (આઈટીયુ) જેવા વૈશ્વિક
મંચો પર ભારતની ભાગીદારીને મજબૂત બનાવવા પર પણ ભાર મૂકવામાં આવશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે,” આ સહયોગ ભારતમાં
ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં સ્વદેશી સંશોધન, ડિઝાઇન અને ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. આત્મનિર્ભર ભારતના
ધ્યેયને ધ્યાનમાં રાખીને,
આ સહયોગ ધોરણો
નક્કી કરવામાં, પરીક્ષણ માળખા
વિકસાવવામાં અને સ્વદેશી ઉકેલો વિકસાવવામાં મદદ કરશે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ