શ્રીનગર: માર્ગ અકસ્માતમાં 7 સીઆરપીએફ જવાન ઘાયલ
શ્રીનગર, નવી દિલ્હી,21 ફેબ્રુઆરી (હિ.સ.) શ્રીનગરના દાગપોરા વિસ્તારમાં, શનિવારે થયેલા માર્ગ અકસ્માતમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના સાત જવાનો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે,” આ અકસ્માત અહમદ નગરના દાગપો
શ્રીનગર: માર્ગ અકસ્માતમાં 7 સીઆરપીએફ જવાન ઘાયલ


શ્રીનગર, નવી દિલ્હી,21 ફેબ્રુઆરી

(હિ.સ.) શ્રીનગરના દાગપોરા વિસ્તારમાં, શનિવારે થયેલા માર્ગ અકસ્માતમાં સેન્ટ્રલ

રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના સાત જવાનો ઘાયલ થયા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે,” આ અકસ્માત અહમદ નગરના દાગપોરા

રોડ પર ઉમર હેયર ખાતે થયો હતો, જ્યારે બીપીપેટ્રોલ પંપ વાહનના ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે વાહન

રસ્તા પરથી ઉતરીને નહેરમાં ખાબકી ગયું હતું.”

અધિકારીઓએ જણાવ્યું હતું કે,” ઘાયલ કર્મચારીઓને

શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (એસકેઆઇએમએસ), સૌરા લઈ જવામાં

આવ્યા હતા. તેમની ઓળખ નાગિન્દર સિંહ (36), અજિત કુમાર રામ (36), રાજ કિશોર રાય (40), અમિત કુમાર યાદવ (38), રાજધન રામ (55), માનકર કુમાર (40) અને નીરજ કુમાર (45) તરીકે થઈ છે.”

તેમણે જણાવ્યું હતું કે,” બધા ઘાયલ કર્મચારીઓની

સ્થિતિ સ્થિર છે અને તેમને નાની ઇજાઓ થઈ છે.”

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande