
નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ.) બૌદ્ધિકો અને શિક્ષણવિદોના જૂથ (જીઆઈએ) એ દિલ્હી
રમખાણોની છઠ્ઠી વર્ષગાંઠ નિમિત્તે દિલ્હીમાં ભારતીય કાયદા સંસ્થામાં એક વિચારમંથન
સત્રનું આયોજન કર્યું હતું. ભાગ લેનારા નિષ્ણાતોએ 2020 ના દિલ્હી રમખાણોને ફક્ત સ્થાનિક હિંસા નહીં
પરંતુ માહિતી યુદ્ધ અને શાસન પરિવર્તન ના આયોજિત, વૈશ્વિક પ્રયાસ
તરીકે વર્ણવ્યા હતા.
દિલ્હીના ભૂતપૂર્વ પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવે
જણાવ્યું હતું કે,” દિલ્હી રમખાણો એક વ્યાપક વૈશ્વિક પેટર્નનો ભાગ હતા જ્યાં શાસન
પરિવર્તન માટે રમખાણોનો ઉપયોગ કરવામાં આવે છે.” આવા રમખાણો દરમિયાન પોલીસ દ્વારા
સામનો કરવામાં આવતા પડકારો પર પ્રકાશ પાડતા, તેમણે કહ્યું કે,” દિલ્હીમાં રમખાણો સંભવિત કઠોર પોલીસ
કાર્યવાહીની અપેક્ષા રાખતા હતા, જે વિરોધને વધુ ઉશ્કેરી શકે છે, જેમ કે
બાંગ્લાદેશ અને નેપાળમાં જોવા મળે છે.”
ભૂતપૂર્વ રોપ્રમુખ સંજીવ ત્રિપાઠીએ, પાંચમી પેઢીના માહિતી
યુદ્ધ ની વિભાવના પર વિગતવાર વાત કરી અને સમજાવ્યું કે,” આધુનિક હાઇબ્રિડ
સંઘર્ષોમાં કથા નિર્માણ, મનોવૈજ્ઞાનિક
કામગીરી અને વ્યૂહાત્મક ખોટી માહિતી માટે રમખાણોનો ઉપયોગ કેવી રીતે થાય છે.”
બાંગ્લાદેશ મોડેલનો ઉલ્લેખ કરતા, રાજદૂત વીણા સીકરીએ
જણાવ્યું હતું કે,” આવી ઘટનાઓમાં સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે વાર્તાને કોણ
નિયંત્રિત કરે છે.” તેમણે ભાર મૂક્યો કે,” રાજકીય પરિણામોને પ્રભાવિત કરવામાં
દ્રષ્ટિ નિર્માણ અને આંતરરાષ્ટ્રીય સંદેશ વ્યવસ્થાપન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”
જીઆઇએકન્વીનર મોનિકા અરોડાએ જણાવ્યું હતું કે,” દિલ્હી રમખાણો
શાસનને અસ્થિર કરવાના હેતુથી એક પ્રયોગ હતો.” તેમણે આ વિષય પર સતત
શૈક્ષણિક અભ્યાસ અને જનજાગૃતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રખ્યાત નાગરિક ચંદર વાધવાને તથાકથિત ડીપ
સ્ટેટ ની ભૂમિકાનું વિશ્લેષણ રજૂ કર્યું અને તેની સંભવિત અસર પર પોતાના
મંતવ્યો વ્યક્ત કર્યા.
આ કાર્યક્રમમાં નિવૃત્ત રાજદૂતો, વરિષ્ઠ પોલીસ
અધિકારીઓ, વકીલો અને
પ્રતિષ્ઠિત નાગરિકો સહિત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ હાજરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / જીતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ