



અંબાજી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) યાત્રાધામ અંબાજી ખાતે ગત તારીખ 9 ફેબ્રુઆરીએ અંબાજી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ મોદનાથ મિશ્રાએ અંબાજી મંદિર ટ્રસ્ટની અધિક કલેકટર અને વહીવટદારની કચેરીમાં ભારે ધંધા ધાંધલ ધમાલ કરી હતી સાથે અધિક કલેક્ટરને મંદિરના વહીવટદાર કૌશિક મોદી સાથે હાથાપાઈ કરી ગળું દબાવી જીવલેણ હુમલો થયાની ઘટના બની હતી જેમાં અધિક કલેક્ટર કૌશિક મોદી ગંભીર રીતે ઘવાયા હતા.
જેવો તે બાબતે તારીખ 10 ફેબ્રુઆરીએ અધિક કલેક્ટરે અંબાજી પોલીસ સ્ટેશનમાં જીવલેણ હુમલો થયા મામલે ફરિયાદ નોંધાવી હતી જેને લઇ પોલીસે પૂર્વ પ્રિન્સિપાલ મોદનાથ મિશ્રાની ધરપકડ કરી દાંતા કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં દાંતા ની સિવિલ કોર્ટે મોદનાથ મિશ્રાના જામીન અરજી ફગાવી દેવાતા મોદનાથ મિશ્રાને પાલનપુરની સબ જેલ ભેગા કરવામાં આવ્યા હતા જ્યાં પાલનપુરની સબ જેલમાં રહેલા મોદનાથ મિશ્રાના વકીલ દ્વારા ફરી પાલનપુરની ડિસ્ટ્રીક કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેને લઇ ડિસ્ટ્રીકટ કોર્ટે ફરી આ મોદનાથ મિશ્રા ની કોર્ટે જામીન અરજી ફગાવી દેવાતા મોદનાથ મિશ્રા ફરી જેલ ભેગા કરી દેવાતા અધિક કલેક્ટરના જિલ્લાના હુમલા મામલે ગુન્હા નો ગાળિયો વધુ મજબૂત બન્યો છે.
જોકે આ મોદનાથ મિશ્રા સામે અંબાજીની કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે હતા ત્યારે મહિલા પ્રધ્યાપીકાઓ ને જાતીય સતામણી જેવી ફરિયાદો પણ થવા પામી હતી ને પાટણ યુનિવર્સિટી દ્વારા મહિલા વિમેન્સ કમિટી દ્વારા કરાયેલી તપાસમાં પણ પ્રધ્યાપીકાઓ ને જાતીય સતામણીન પુરાવા સાબિત થયા હોવાનું પણ જાણવા મળેલ છે જોકે આ મોદનાથ મિશ્રા સામે અનેક કેસ નામદાર કોર્ટમાં ચાલી રહ્યા હોનું પણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ