



અંબાજી, 13 માર્ચ (હિ.સ.) ઉચ્ચ શિક્ષણમાં “આદિવાસી વિદ્યાર્થીઓ સામે આવતા પડકારો અને નવી એજ્યુકેશન પોલિસીમાં દર્શાવેલ તેના સંભવિત ઉકેલ” વિષય પર બે દિવસીય રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યુંશ્રી અંબાજી આર્ટ્સ કોલેજ ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગાંધીનગર અને કે.સી.જી., અમદાવાદના સહયોગથી “ ઉચ્ચ શિક્ષણમાં આદિવાસી વિદ્યાર્થીઓ સામે આવતા પડકારો અને નવી એજ્યુકેશન પોલિસીમાં દર્શાવેલ તેના સંભવિત ઉકેલ” વિષય પર બે દિવસીય રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉદ્ગાટન કાર્યક્રમના પૂર્વે સમારંભના અધ્યક્ષ ડો. કિશોરસિંહ પોરિયા.કુલસચિવ રોહિતભાઈ દેસાઈ અને ડો.દીપકભાઈ ભોયા.વહીવટદાર કૌશિક મોદી સાહેબ વગેરેનું સ્વાગત અંબાજી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી ભાઈ અને બહેનો દ્વારા . આદિવાસી નૂત્ય .કંકુ તિલક કરીને કરવામાં આવ્યું હતું…આ સેમિનારના ઉદઘાટન સમારંભમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ પોરિયા તથા કુલસચિવ ડૉ. રોહિતભાઈ દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદની પ્રોફેસર ડૉ. મંજુલાબેન ડાભી તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. દીપક ભોયા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત મંગલાચરણના શ્લોક તથા “સત્યમ શિવમ સુન્દરમ”ના મધુર ગીત સાથે કરવામાં આવી હતી. મહેમાનો દ્વારા દીપ પ્રજ્વલન કરી સેમિનારનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.પ્રરંભે કોલેજના આચાર્ય ડૉ. એસ. એન. પટેલ દ્વારા મહેમાનોનો શાબ્દિક સ્વાગત કરી તેમનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ સેમિનારના સંયોજક ડૉ. વિજય ઉત્સવ દ્વારા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કૌશિક મોદી સાહેબે પ્રાસંગિક ઉદબોધન આપી સમગ્ર કોલેજ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. કુલસચિવ ડૉ. રોહિતભાઈ દેસાઈએ નવી શિક્ષણ નીતિ (NEP-2020) અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓ માટે ઊભી થતી નવી તકો વિશે વિગતવાર માહિતી આપી હતી.
કુલપતિ ડૉ. કિશોરસિંહ પોરિયા સાહેબે પણ NEP-2020 હેઠળ આદિવાસી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ તકો તથા ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થી કેવી રીતે પોતાના સમય અને સ્થાને રહીને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ