


વલસાડ, 14 માર્ચ (હિ.સ.) : ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આધ્યાત્મિક ચેતનાના પાવન ધામ એવા ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર મિશનની મુલાકાત લઈ શ્રીમદ્ રાજચંદ્રજીના ચરણોમાં વંદન કર્યા હતાં.
આ પ્રસંગે તેઓએ કહ્યું કે, આ પવિત્ર ભૂમિની દિવ્યતા અને અહીં વ્યાપ્ત અસીમ શાંતિનો અનુભવ મનને પ્રસન્નતા અને જીવનને ધન્યતા અર્પે છે. શ્રીમદ્ રાજચંદ્રજીના ઉચ્ચ આદર્શો અને પૂજ્ય ગુરુદેવ રાકેશજીના માર્ગદર્શન હેઠળ ચાલતી માનવ સેવા અને સાધનાની પ્રવૃત્તિઓ સાચા અર્થમાં પ્રેરણાદાયી છે.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી નરેશ પટેલ, પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંત કોરાટ, સાંસદ ધવલ પટેલ, સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ તેમજ ભાજપા આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ