


પોરબંદર, 25 માર્ચ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026ના કાર્યક્રમમાં આવતા ખેડુતો તથા પ્રજાજનમાં ભ્રષ્ટાચાર વિરૂધ્ધ પ્રજામાં જાગૃતિ લાવવા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ચોપાટી ગ્રાઉન્ડ ખાતે મિલેટ મહોત્સવમાં મુલાકાતે આવતા નાગરિકોને પોરબંદર એ.સી.બી. પોલીસ સ્ટેશનના કર્મીઓ દ્રારા જાહેર જનતામાં ભ્રષ્ટાચાર વિરોધી અભિગમ ફેલાવવા માટે પ્રજામાં જાગૃતિ લાવવા માટે ટોલ ફ્રી-નંબર દર્શાવતા પેમ્પફ્લેટની વહેચણી કરી ટોલ ફ્રી-નંબર 1064 બાબતે લોકોને માહીતગાર કરી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરીથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya