




પોરબંદર, 25 માર્ચ (હિ.સ.) : અંગ્રેજી શાસનમાં 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી ત્યારથી આ દિવસને દર વર્ષે શહિદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ‘શહીદ દિવસ' અંતર્ગત પોરબંદર જિલ્લા યુવા ભાજપ દ્વારા પોરબંદરના ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે “એક શામ શહીદો કે નામ” સંગીત કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં દેશની આઝાદી માટે પોતાના જાનનું બલિદાન આપી દેનાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર સહિત શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતના તિવારી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કેતન દાણી, સીનિયર અગેવાન રામદે મોઢવાડિયા,જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષ ગોહેલ, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હર્ષ રૂઘાણી અને ધવલભાઈ ઓડેદરા, ભાજપ અગ્રણી પંકજ મજીઠીયા, સામતભાઈ ઓડેદરા અને જિલ્લા યુવા મોરચાના હોદેદારો અને કાર્યકર્તાઓ સહીત યુવાનોની ટીમે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya