જામનગર : રાજકોટના સોની વેપારી સાથે સોનાની બંગડીની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો
જામનગર, 26 માર્ચ (હિ.સ.) રાજકોટના સોની વેપારી હાર્દિક અનિલભાઈ ચાવડા દ્વારા જામનગરના સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં એક સપ્તાહ પહેલા પોલીસ ફરિયાદ કરી જણાવ્યું હતું કે પોતાની રૂપિયા 2,55,000ની કિંમતની સોનાની બંગડી કે જે પોતાના જામનગરના એક ગ્રાહક જયપાલ
છેતરપિંડી આરોપી


જામનગર, 26 માર્ચ (હિ.સ.) રાજકોટના સોની વેપારી હાર્દિક અનિલભાઈ ચાવડા દ્વારા જામનગરના સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં એક સપ્તાહ પહેલા પોલીસ ફરિયાદ કરી જણાવ્યું હતું કે પોતાની રૂપિયા 2,55,000ની કિંમતની સોનાની બંગડી કે જે પોતાના જામનગરના એક ગ્રાહક જયપાલસિંહ રાણાને પહોંચાડવા માટે જામનગરમાં રહેતા પોતાના મિત્ર કેયુરભાઈ ઉર્ફે વાણીયા નીતિનભાઈ સંઘવીને આપી હતી.પરંતુ તે બંગડી તેણે પહોંચાડી ન હતી અને રવિ સોની પાસે દોઢ લાખ રૂપિયામાં ગીરવે મૂકી દીધી, હતી ત્યારબાદ જીગ્નેશ સોલંકીએ તેમાં મદદગારી કરી હતી, અને આ મામલે ત્રણ સામે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ બાદ સિટી બી.ડિવિઝન પોલીસે કેયુર ઉર્ફે વાણિયો નીતિન સંઘવીની અટકાયત કરી લીધી છે, અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. જે આરોપી સામે જામનગર અને રાજકોટમાં છ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓ રવિ સોની અને જીગ્નેશ સોલંકીને પોલીસ શોધી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande