
નવી દિલ્હી, 14 એપ્રિલ (હિ.સ.) બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ પર ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓએ, મંગળવારે સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સત્તાવાર કાર્યક્રમમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને અન્ય નેતાઓએ પણ હાજરી આપી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણમાં બાબાસાહેબના પ્રયાસો અત્યંત પ્રેરણાદાયક છે. તેમનું જીવન અને કાર્ય પેઢીઓને ન્યાયી અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવા માટે પ્રેરિત કરે છે.
ઉલ્લેખનીય છે કે, ડૉ. બી. આર. આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. તેઓ ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા, એક પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી અને સમાજ સુધારક હતા. તેમણે વંચિત વર્ગોના અધિકારો માટે નોંધપાત્ર સંઘર્ષ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર /માધવી ત્રિપાઠી/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ