




પોરબંદર, 17 એપ્રિલ (હિ.સ.)સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે.વિવિધ રાજકીય પક્ષ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.ત્યારે પોરબંદર મનપાના રસાકાસી વાળા વોર્ડનં-9 ના ભાજપના ઉમેદવારો કાર્યાલયનો પ્રારંભ કર્યા બાદ હવે પ્રચારનો પ્રારંભ કર્યો છે.તેમને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. પોરબંદરના વોડનં-9ના ભાજપના ઉમેદવાર સાગર મોદી, વિક્રમભાઈ ઓડેદરા, મીતાબેન જોષી અને ક્રિષ્નાબેન રાજાણીએ પોતાના વોર્ડમા પ્રચારનો પ્રારંભ કર્યો છે.તેમની સાથે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામા જોડાયા હતા. શહેર અને જિલ્લામાં સર્વત્ર ચૂંટણી ના માહોલ ગરમાયો હોય તેવું વાતાવરણ સર્જાયું છે.
ભાજપના ઉમેદવારોએ પોતાના મત વિસ્તારમાં ના લોકો ને રીઝવવા શહેરના વિકાસની વાત કરી હતી, જેને પગલે આ વોર્ડના મતદારોએ ભાજપના ઉમેદવારોને મીઠો આવકાર આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya