કોઇમ્બતુરમાં 48 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: વલસાડ LCBએ 15 લાખ રૂપિયા સાથે આરોપીઓ ઝડપ્યા
વલસાડ, 18 એપ્રિલ (હિ.સ.) : તમિલનાડુ રાજ્યના કોઇમ્બતુર જિલ્લાના કિન્નાથુકડાવુ પોલીસ સ્ટેશન હદમાં આવેલ એક એન્જિનિયરિંગ કોલેજમાં થયેલી રૂ. 48 લાખની રાત્રી ઘરફોડ ચોરીનો ગુનો વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યો છે. પ
48 લાખની ચોરીમાં બાળકિશોર સંડોવાયો!


વલસાડ, 18 એપ્રિલ (હિ.સ.) : તમિલનાડુ રાજ્યના કોઇમ્બતુર જિલ્લાના કિન્નાથુકડાવુ પોલીસ સ્ટેશન હદમાં આવેલ એક એન્જિનિયરિંગ કોલેજમાં થયેલી રૂ. 48 લાખની રાત્રી ઘરફોડ ચોરીનો ગુનો વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં રૂ. 15 લાખ રોકડ રિકવર કરી આરોપીઓને ઝડપ્યા છે.

માહિતી મુજબ, તા. 14 એપ્રિલ 2026ના રોજ અજાણ્યા શખ્સોએ કોલેજમાં રાત્રિના સમયે પ્રવેશ કરીને ઓફિસમાંથી રૂ. 48 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે કિન્નાથુકડાવુ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ ગુનો નોંધાયો હતો.

આ ગંભીર ગુનાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ LCB ટીમે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ. 15 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. પુછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે તેણે પોતાના સાથીદાર રાજ મનોહર પવાર, મિથુન અશરફીલાલ ભારતીયા અને બબન રાજકુમાર સાથે મળીને આ ચોરી અંજામ આપી હતી. પકડાયેલા આરોપીઓમાં રાજ મનોહર પવાર અને મિથુન ભારતીયા ઉમરગામના રહેવાસી છે, જ્યારે બબન રાજકુમાર મુંબઈનો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય આરોપી રાજ મનોહર પવાર અગાઉ પણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સમાન પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો છે. આ સમગ્ર કામગીરી LCB વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ PSI જે.જી. પરમાર અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. હાલમાં કિન્નાથુકડાવુ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande