
સોમનાથ 26 મે (હિ.સ.) સોમનાથ કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલા તથા જિલ્લા વિકાસ અધિકારીસ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને એપિડેમિક મેડિકલ ઓફિસર તેમજ સોશ્યલ વર્કર જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા સોમનાથ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં આગામી 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિતે અપીલ કરવામાં આવી છે.
આ અપીલ દ્વારા નાગરિકોને જણાવાયું છે કે, આવનાર પેઢી વ્યસનથી દૂર રહે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ WHO દ્વારા આ વર્ષની ઝુંબેશ બાળકો અને યુવાનોને લક્ષ્ય બનાવતી ભ્રામક ઉદ્યોગ યુક્તિઓનો પર્દાફાશ કરવા પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે. યુવાનોને ડિઝાઇન દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેથી નવા ઉત્પાદનોનો પર્દાફાશ કરવો: તમાકુ અને નિકોટિન ઉદ્યોગ ઇ-સિગારેટ, નિકોટિન પાઉચ અને સિન્થેટિક, નિકોટિન જેવા આધુનિક ઉપકરણોને કેવી રીતે આગળ ધપાવે છે તે અંગે જાગૃતિ વધારવી.
ભ્રામક માર્કેટિંગનો સામનો કરવો તેમજ વ્યસન થી થતા નુકશાન અંગે જાગૃતતા લાવવી તેમજ જિલ્લામાં તમાકુ નિયંત્રણ ધારાની અમલવારી કરવી જેમાં કોટપા કાયદાની કલમ-5 તમાકુ ઉત્પાદનો (સિગારેટ, ગુટખા, વિગેરે)ની જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને, ખાસ કરીને યુવાનોને તમાકુના સેવન તરફ આકર્ષિત થતા અટકાવવાનો છે.
મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે:જાહેરાતો પર પ્રતિબંધ: પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈપણ માધ્યમથી તમાકુના ઉત્પાદનોની જાહેરાત (એડવર્ટાઈઝમેન્ટ) કરવા પર કાયદાકીય પ્રતિબંધ છે.સ્પોન્સરશીપ અને પ્રમોશન: કોઈપણ તમાકુ કંપની કોઈ કાર્યક્રમ, રમતગમત કે સંસ્થાને આર્થિક મદદ (સ્પોન્સર) આપીને પોતાની બ્રાન્ડનો પ્રચાર કરી શકતી નથી. ફિલ્મ અને ટીવી પર ચેતવણી: ટીવી સિરિયલો કે ફિલ્મોમાં તમાકુના ઉપયોગ વાળા દ્રશ્યો આવે ત્યારે ફરજિયાતપણે સ્ક્રીન પર તમાકુ વિરોધી ચેતવણી ( Anti-tobacco warning) અને ડિસ્પ્લે દર્શાવવો પડે છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ