
પાટણ, 03 મે (હિ.સ.)પાટણના ખીમીયાણા ખાતે આવેલ ‘દીકરાનું ઘર’ આશ્રયસ્થાનને રૂ. 1,11,111નું દાન મળ્યું છે. આ દાન પૂર્વ નગરપાલિકા પ્રમુખ દામિનીબેન પ્રજાપતિના અમેરિકા સ્થિત પૌત્ર ચિ. વંશ સિમૂલકુમાર પ્રજાપતિ દ્વારા વડીલો પ્રત્યે આદર રૂપે આપવામાં આવ્યું હતું.
હીરા શંકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આ સંસ્થામાં રવિવારે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સંચાલક ડો. પ્રહલાદભાઈ પટેલે ચેક સ્વીકારી દાતા પરિવારનો આભાર માન્યો હતો. શહેરના દાતા પરિવારો તરફથી સંસ્થાને અવારનવાર સહાય મળતી રહે છે.
આ પ્રસંગે દામિનીબેનની પુત્રી માલિની અને ચિ. ભવ્યા હાજર રહ્યા હતા. સાથે જ પદ્મનાભભગવાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામીએ સંસ્થાની મુલાકાત લઈને વડીલો સાથે ભોજન કરી આનંદ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ