એર ઇન્ડિયા અને સઉદિયા એરલાઇન્સે કોડશેર વિસ્તરણ માટે કરાર કર્યો
નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.). ટાટાના નેતૃત્વ હેઠળની એર ઇન્ડિયા અને સાઉદી અરેબિયાની સઉદિયા એરલાઇન્સે તેમના વ્યૂહાત્મક સહયોગને વધારવા માટે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ બંને એરલાઇન્સ વચ્ચે કોડશેર કરારનું વિસ્તરણ, નેટવર્ક ક
એર ઇન્ડિયા અને સાઉદી અરેબિયાની સઉદિયા એરલાઇન્સ વચ્ચે કરાર


નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.). ટાટાના નેતૃત્વ હેઠળની એર ઇન્ડિયા અને સાઉદી અરેબિયાની સઉદિયા એરલાઇન્સે તેમના વ્યૂહાત્મક સહયોગને વધારવા માટે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ બંને એરલાઇન્સ વચ્ચે કોડશેર કરારનું વિસ્તરણ, નેટવર્ક કનેક્ટિવિટી સુધારવા અને વ્યાપક વાણિજ્યિક સહયોગની શક્યતાઓને શોધવાની યોજના છે.

એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર જારી કરાયેલી પોસ્ટમાં જણાવ્યું કે, અમે અમારી હાલની કોડશેર કરારને આગળ વધારતા અને ઓપરેશનલ તથા કોમર્શિયલ સહયોગની નવી તકો ઊભી કરતા, અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધારવા માટે સઉદિયા એરલાઇન્સ સાથે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.

એરલાઇને જણાવ્યું કે, આ કરાર પર સાઉદી જૂથના ડાયરેક્ટર જનરલ એન્જિનિયર ઇબ્રાહિમ અલ-ઓમર અને એર ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) અને મેનેજિંગ ડિરેક્ટર મિસ્ટર કેમ્પબેલ વિલ્સને હસ્તાક્ષર કર્યા છે.

એર ઇન્ડિયાએ કહ્યું કે, અમે સાથે મળીને અમારા નેટવર્કમાં કનેક્ટિવિટી સુધારવા, ગ્રાહક અનુભવ અને વફાદારીના મામલે સહયોગને વધુ ગાઢ બનાવવા અને ભારત, સાઉદી અરેબિયા તથા અન્ય સ્થળો વચ્ચે મુસાફરી કરનારાઓ માટે વધુ મૂલ્ય ઊભું કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.

એરલાઇને કહ્યું કે, આ એમઓયુ અમારા સંબંધિત જૂથોની અન્ય એરલાઇન્સ (જેમ કે એર ઇન્ડિયા એક્સપ્રેસ અને ફ્લાયડીલ) સુધી આ ભાગીદારીને વધારવાની શક્યતા શોધવાનો પાયો પણ નાખે છે, જેનાથી અમારા મુસાફરો માટે વધુ સારી કનેક્ટિવિટી અને વિકલ્પો ઉપલબ્ધ થશે. નોંધનીય છે કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે મુસાફરોની અવરજવર સતત વધી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande