


પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ. પાટણની નૂતન વિનય મંદિર ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓએ રક્ષાબંધન નિમિત્તે સરહદ પર તૈનાત જવાનો માટે રાખડીઓ સાથે દેશભક્તિભર્યા પત્રો મોકલ્યા હતા.
યુવા ફાઉન્ડેશનના પ્રતિનિધિ, ધ્રુમિત પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં, વિદ્યાર્થિનીઓએ સ્વખર્ચે રાખડીઓ મેળવી જવાનો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.
આ ઉપક્રમનો હેતુ જવાનોનું મનોબળ વધારવા સાથે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના અને સામાજિક જવાબદારીની ભાવના મજબૂત કરવાનો હતો. શિક્ષક ગૌરવભાઈ અને આચાર્યએ કાર્યક્રમમાં માર્ગદર્શન આપ્યું હતું.
વિદ્યાર્થિનીઓના આ સરાહનીય કાર્ય બદલ યુવા ફાઉન્ડેશન દ્વારા શાળાને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આચાર્યએ તમામ વિદ્યાર્થીનીઓ, શિક્ષક અને ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્ય બદલ વિદ્યાર્થીનીઓને ઠેર થે થી અભિનંદન મળ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ