
નવી દિલ્હી, 20 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાની જેમ આજે સવારે સુભાષીતમ તરીકે જાણીતા સંસ્કૃત ગ્રંથ કથાસરિત્સાગરના શ્લોક.......
‘‘आपत्काले च कष्टेऽपि नोत्साहस्त्यज्यते बुधैः। इति प्रबोधितस्तेन कथञ्चिद् दृढबुद्धिना।।’’
ને એક્સ હેન્ડલ પર શેર કર્યો. તેમણે કઠિન પરિસ્થિતિઓમાં પણ ધૈર્ય જાળવી રાખવાનો સંદેશ આપ્યો.
આ ગ્રંથના રચયિતા મહાકવિ સોમદેવ ભટ્ટ છે. વડાપ્રધાનની પોસ્ટમાં આ શ્લોકનો અર્થ ‘‘સ્થિર અને દૃઢ બુદ્ધિવાળા જ્ઞાનીજન સમય આવ્યે આ સમજાવે છે કે, બુદ્ધિમાન લોકો સંકટ અને કઠિન પરિસ્થિતિઓમાં પણ ક્યારેય પોતાનો ઉત્સાહ ગુમાવતા નથી.’’
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ