
ગીર સોમનાથ 22 ઓગસ્ટ (હિ.સ.)
આજરોજ વેરાવળ ખાતે તારીખ રોજ હરસિધ્ધિ સોસાયટી માં આવેલ દશામાં મંદિરે દશામાના વ્રતના દસમા દિવસે દર્શનનો લાભ લેતા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તેમાં મંદિરના પૂજારી હર્ષદગીરી બાપુ, મંદિરના સભ્યો જીતુભાઈ રાવલ, અશોકભાઈ વાઘેલા, ધનસુખભાઈ મહેતા, તથા દશામાં મિત્ર મંડળ દ્વારા જીતુભાઈ કુહાડાને ફૂલહાર અને સાલ ઓઢાડીને મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કડવા પટેલ સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, ભોઈ સમાજના પ્રમુખ હરગોવિંદભાઈ વાજા, દરબાર સમાજ ના રમજુભા ચાવડા અજયભાઈ ધારેચા, સહિતના અન્ય અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં દશામાં મંદિરના પૂજારી, તેમજ તમામ સભ્યો, તથા દશામાં મિત્ર મંડળ ઉપસ્થિત રહેલા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ