
નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) મુખ્યાલયમાં આજે સંગઠન અને આગામી કાર્યક્રમોને લઈને દિવસભર મહત્વપૂર્ણ બેઠકોનો દોર ચાલશે. ભાજપ અધ્યક્ષ નિતિન નવીનની અધ્યક્ષતામાં ત્રણ મહત્વપૂર્ણ બેઠકો યોજાશે, જેમાં નવી ટીમનો પરિચય, સંગઠનાત્મક રણનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાર્વજનિક જીવનના 25 વર્ષ પૂરા થવાના અવસર પર ચલાવવામાં આવનારા અભિયાનની તૈયારીઓ પર ચર્ચા થશે.
આ બેઠકોની શરૂઆત નવા પદાધિકારીઓની પરિચય બેઠક સાથે ભાજપ મુખ્યાલયમાં શરૂ થઈ ચૂકી છે. નિતિન નવીન પોતાની નવનિયુક્ત ટીમ સાથે પહેલી પરિચય બેઠક કરી રહ્યા છે. બેઠકની શરૂઆત વંદે માતરમ રાષ્ટ્રીય ગીત સાથે થઈ.
આ બેઠકમાં 65 નવા સભ્યોની સાથે જૂના પદાધિકારીઓ પણ હાજર છે. બેઠકમાં સૌને જવાબદારીઓ અને સંગઠનમાં તેમની ભૂમિકા વિશે માહિતી આપવામાં આવશે. બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી સ્મૃતિ ઈરાની, ઉપાધ્યક્ષ વસુંધરા રાજે, મંત્રી સંદીપ પાઠક અને કવિતા પાટીદાર પહોંચ્યા. આ ઉપરાંત સૌદાન સિંહ, તરુણ ચુગ, સતીશ પૂનિયા અને વિનોદ તાવડે પણ હાજર છે.
આ ઉપરાંત વડાપ્રધાન મોદીના સાર્વજનિક જીવનના 25 વર્ષ પૂરા થવાના અવસર પર આયોજિત થનારા ‘મોદી 25’ અભિયાનને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાશે. તેમાં દેશભરમાં યોજાનારા કાર્યક્રમોની રણનીતિ નક્કી કરવામાં આવશે. બેઠકમાં ભાજપ અધ્યક્ષ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સામેલ થશે.
આ ઉપરાંત સાંજે લગભગ છ વાગ્યે ભાજપ અધ્યક્ષ નિતિન નવીન પ્રદેશ અધ્યક્ષો, સંગઠનના વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ સાથે બેઠક કરશે. તેમાં સંગઠનાત્મક ગતિવિધિઓ, આગામી કાર્યક્રમો અને રાજ્યોમાં પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરીને આગળની રણનીતિ પર મંથન કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ