શાંતા કુમારે ‘વંદે માતરમ્’ના શ્લોકો હટાવવા પર સવાલ ઉઠાવ્યા, કોંગ્રેસને પૂછ્યું- ભારત મુસ્લિમ લીગ અનુસાર શા માટે ચાલે?
શિમલા, નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.) પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાંતા કુમારે વંદે માતરમ્ના મૂળ સ્વરૂપમાંથી બે શ્લોકો હટાવવાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, આઝાદીના આઠ દાયકા પછી પણ શું ભારતે જિન્ના અને મુસ્લિમ લીગના વાંધાઓ
ેફોલૂો


શિમલા, નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.) પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાંતા કુમારે વંદે માતરમ્ના મૂળ સ્વરૂપમાંથી બે શ્લોકો હટાવવાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, આઝાદીના આઠ દાયકા પછી પણ શું ભારતે જિન્ના અને મુસ્લિમ લીગના વાંધાઓ અનુસાર ચાલવું જોઈએ?

શાંતા કુમારે રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, વર્ષ 1937 સુધી વંદે માતરમ્નું આખું ગીત ગાવામાં આવતું હતું. તેમણે દાવો કર્યો કે, 1937માં મોહમ્મદ અલી જિન્ના અને મુસ્લિમ લીગે તેના બે શ્લોકોનો વિરોધ કર્યો હતો, કારણ કે તેમાં હિંદુ ધર્મની દેવીઓ લક્ષ્મી અને દુર્ગાનું વંદન કરવામાં આવ્યું હતું. આ પછી કોંગ્રેસે પ્રસ્તાવ પસાર કરીને આ બંને શ્લોકોને હટાવવાનો નિર્ણય લીધો.

તેમણે કોંગ્રેસને સવાલ કર્યો કે, તેને દેવી લક્ષ્મી અને દેવી દુર્ગાના વંદનથી શું વાંધો છે? શાંતા કુમારે કહ્યું કે, દેશની આઝાદીના 80 વર્ષ પછી એ વિચારવાની જરૂર છે કે, શું ભારતે તે સમયે મુસ્લિમ લીગ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓના આધારે આગળ વધવું જોઈએ?

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આરોપ લગાવ્યો કે, “આજના ભારતનું સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે, કોંગ્રેસ જ મુસ્લિમ લીગ બની ગઈ છે.” તેમણે કહ્યું કે, દેશનો જાગૃત સમાજ વંદે માતરમ્ સાથે થયેલા આ કથિત અન્યાયને ક્યારેય સ્વીકારશે નહીં.

શાંતા કુમારે કહ્યું કે, વંદે માતરમ્ ભારતના સ્વતંત્રતા સંગ્રામ અને રાષ્ટ્રીય ચેતના સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું છે તથા તેના ઐતિહાસિક સ્વરૂપને લઈને દેશમાં ગંભીરતાથી વિચાર થવો જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ શુક્લા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande