સુરેન્દ્રનગરના થાનગઢમાં, વધુ એક દુષ્કર્મની ઘટના
- સાત શખ્સોએ અલગ અલગ સમય અને સ્થળે સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સુરેન્દ્રનગર/અમદાવાદ,18 ઓકટોબર (હિ.સ) ગુજરાતમાં સુરત,વડોદરા,કચ્છ,દાહોદ અને હવે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતી એક સગીરા પર સાત શખ્સોએ છેલ્લા સા
સુરેન્દ્રનગરના થાનગઢમાં, વધુ એક દુષ્કર્મની ઘટના


- સાત શખ્સોએ અલગ અલગ સમય અને સ્થળે સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

સુરેન્દ્રનગર/અમદાવાદ,18 ઓકટોબર (હિ.સ) ગુજરાતમાં સુરત,વડોદરા,કચ્છ,દાહોદ અને હવે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતી એક સગીરા પર સાત શખ્સોએ છેલ્લા સાત મહિના દરમિયાન અલગ અલગ સ્થળો પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પીડિતાની માતા દ્વારા કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ દ્વારા પીડિતાને અલગ અલગ સમયે અને સ્થળે ધમકી આપી લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. દુષ્કર્મ મામલે પોલીસ દ્વારા થાનગઢમાં ગામે રહેતા અજય ભરવાડ, અજય મલાભાઈ અલગોતર, શૈલેષ ઉકાભાઇ અલગોતર, ધ્રુવ મહેન્દ્ર ચાવડા, કૌશિક ઉર્ફે લાલો હરેશ ગૌસ્વામી, વિજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી અને દર્શન મુકેશ સદાદિયા અને મદદગારી કરનાર કાના ઉર્ફે હરિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, થાનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીના કહ્યા મુજબ તેમની દીકરી સાથે અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિ દ્વારા, દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. દીકરીની ઉંમર 18 વર્ષથી નાની હોઇ બળજબરીપૂર્વક લઈ જવાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદમાં આઠ લોકોનાં નામ છે અન્ય આરોપીઓની પણ તપાસ ચાલુ છે. આ બનાવ સામૂહિક દુષ્કર્મનો નથી. તમામ બનાવ છેલ્લા સાત મહિનાના સમયગાળામાં અલગ અલગ બન્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande