કુરુક્ષેત્ર/અમદાવાદ,05 ઓકટોબર (હિ.સ.) ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે હરિયાણામાં મિર્ઝાપુર સ્થિત શાસકીય પ્રાથમિક શાળામાં બૂથ નં. 157 પર પરિવાર સાથે મતદાન કર્યું.
‘પહેલા મતદાન, પછી જલપાન’નું અનુસરણ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સવારે 7:10 વાગ્યે મતદાન કર્યું. આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવી, તેમના પુત્ર ગૌરવ આર્ય અને પુત્રવધુ કવિતા ચૌધરીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો.
મીડિયા સાથેની વાતચીતમાં આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ભારતના બંધારણે 18 વર્ષની ઉંમર પછી બધાને મતદાન કરવાનો અધિકાર આપ્યો છે, અને સૌએ ભારતીય બંધારણના આ નિર્દેશનું પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશ અને સમાજની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાના મતનો ઉપયોગ કરવા માટે કુરુક્ષેત્ર પહોંચ્યા હતા અને મિર્ઝાપુરમાં બૂથ નં. 157 પર પરિવાર સાથે લાઇનમાં ઉભા રહીને નિયમ અનુસાર મતદાન કર્યુ હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ