પાકિસ્તાનના નેવલ બેઝ પર આતંકી હુમલો, એક સૈનિક અને ચાર આતંકી માર્યા ગયા
રાવલપિંડી, નવી દિલ્હી, 26 માર્ચ (હિ.સ.) ગત રાત્રે પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના તુર્બત શહેરમાં, નેવલ બેઝ
હુમલો


રાવલપિંડી, નવી દિલ્હી, 26 માર્ચ (હિ.સ.) ગત રાત્રે પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના તુર્બત શહેરમાં, નેવલ બેઝ પીએનએસ સિદ્દીકી પર આતંકી હુમલો થયો હતો. આ ફાયરિંગ દરમિયાન એક જવાન શહીદ થયો હતો. જ્યારે હુમલામાં સામેલ ચાર આતંકીઓ પણ માર્યા ગયા હતા.

ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર) એ, મંગળવારે એક નિવેદન જારી કરીને આ માહિતી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,” સશસ્ત્ર દળોની અસરકારક પ્રતિક્રિયાએ, મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો. આ દરમિયાન ફ્રન્ટિયર કોર્પ્સના 24 વર્ષીય સૈનિક નોમાન ફરીદે, જીવ ગુમાવ્યો હતો. તે મુઝફ્ફરગઢનો રહેવાસી હતો અને ફ્રન્ટિયર કોર્પ્સ, બલૂચિસ્તાનમાં કામ કરતો હતો. નૌકાદળની મદદ માટે તરત જ આસપાસના વિસ્તારમાં, સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / દધીબલ / માધવી


 rajesh pande