ક્ષત્રિયોએ રૂપાલા સામે અમદાવાદમાં બાંયો ચડાવી,ગુજરાતની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક
અમદાવાદ,28 માર્ચ (હિ.સ.) લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી આપતી જનક ટિપ્પણીઓનો જાણે દોર શરૂ થઈ ગય
ક્ષત્રિયોએ રૂપાલા સામે અમદાવાદમાં બાંયો ચડાવી,ગુજરાતની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક


અમદાવાદ,28 માર્ચ (હિ.સ.) લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી આપતી જનક ટિપ્પણીઓનો જાણે દોર શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે.ચૂંટણી પંચે પણ નોટિસ આપવાની શરૂઆત કરી દીધી છે.આ મામલે રૂપાલા સામે ફરિયાદ મળતા જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસનો આદેશ આપ્યો છે. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે અપમાનજનક ભાષાનો પ્રયોગ કર્યો અને તેનો એક વીડિયો ફરતો થયો હતો. જે પછી રૂપાલાએ સમય પારખીને ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આમ છતાં ક્ષત્રિય સમાજે આકરું વલણ અપનાવીને રૂપાલાને માફ ન કરવાની જાહેરાત કરી છે.

ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ હજુ સમ્યો નથી. આજે અમદાવાદમાં ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પરસોતમ રૂપાલાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પરસોતમ રૂપાલના વિરોધમાં આવેદન અપાશે તથા વિરોધ કરવામાં આવશે. આ ઉપરાંત રૂપાલા જ ચૂંટણી લડશે તો તેમના વિરોધમાં મતદાન કરવામાં આવશે. બેઠકમાં ભાજપ ‘તુજસે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં’ના નારા પણ લગાવ્યા હતા.

પુરૂષોતમ રૂપાલાએ પોતાના નિવેદન બદલ વીડિયો બનાવી ક્ષત્રિય સમાજની માફી પણ માગી લીધી હતી. છતા આજે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહાબેઠક મળી છે. આજની બેઠકમાં ક્ષત્રિય સમાજની 90 સંસ્થાના આગેવાનો હાજર રહ્યા છે. રૂપાલાના વિવાદિત નિવેદનથી આજની બેઠકમાં આગામી રણનીતિની ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં રૂપાલાનો વિરોધ કરી ભાજપને ઉમેદવાર બદલવા જણાવ્યું છે. સમાજના 17 ટકા મતદારો છે. જેથી રાજકોટ બેઠક પર રૂપાલા લડે તો તેમની વિરુદ્ધમાં મતદાન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

પરષોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, ‘અંગ્રેજોએ આપણા પર દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો પણ કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો કોઈ વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તો તેમના પર થયા હતા. એ સમયે તેઓ તલવાર આગળ નહોતા ઝૂક્યા.’

રૂપાલાએ માફી માગતા શું કહ્યું હતું

આ નિવેદન અંગે આજે માફી માંગતા પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, મેં વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે, મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો, તેમ છતાં મારા નિવેદન થકી કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું અને દિલથી માફી માગું છું, આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરું છું.

આ મામલે રૂપાલા સામે ફરિયાદ મળતા જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસનો આદેશ આપ્યો છે. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે અપમાનજનક ભાષાનો પ્રયોગ કર્યો અને તેનો એક વીડિયો ફરતો થયો હતો. જે પછી રૂપાલાએ સમય પારખીને ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આમ છતાં ક્ષત્રિય સમાજે આકરું વલણ અપનાવીને રૂપાલાને માફ ન કરવાની જાહેરાત કરી છે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande